બનાસકાંઠા...દાંતા... વસી દીવળી ધારેડા કણબિયાવાસ એવા અનેક ગામોમાં ગેર કાયદેસર ઈંટવાળા ધમ ધમી રહ્યા છે* દાંતા પંથકમાં ગેરકાયદેસર ઈંટવાળા ધમધમી રહ્યા છે તેમ છતાં જવાબદાર અધિકારીઓ કેમ મોંન...*

બનાસકાંઠા...દાંતા
વસી દીવળી ધારેડા કણબિયાવાસ એવા અનેક ગામોમાં ગેર કાયદેસર ઈંટવાળા ધમ ધમી રહ્યા છે* 
દાંતા પંથકમાં ગેરકાયદેસર ઈંટવાળા ધમધમી રહ્યા છે તેમ છતાં જવાબદાર અધિકારીઓ કેમ મોંન.દાંતા તાલુકામાં અનેક ગામડાઓમાં  ગેરકાયદેસર ઇંટવાળા ધમધમી રહ્યા છે સરકારથી ડર્યા વગર દાંતા તાલુકામાં ચાલતા ગેરકાયદેસર ઇંટવાળા ના મલિકો કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર  વર્ષોથી ઈંટવાળા ઉતપન્ન કરી રહ્યા છે સરકારની કરોડો ની રોયલ્ટી ચોરી કરી રહ્યા છે તેમજ જંગલમાંથી લીલા લાકડા તેમજ હાજારો ઘનફૂટ માટી ની ચોરી કરી સરકારને ચેલેન્જ આપી રહ્યા છે છતાંય અધિકારીઓ આંખેથી કાળા ચશ્માં ઉતારતા નથી અને મગનું નામ મરી પાડવા વહીવટી તંત્ર તૈયાર નથી કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને દાંતા મામલતદાર સાહેબ પોતે મોકડુ મેદાન ગોતી ઈન્ટરીયુ આપવાનો ઈન્કાર કરી દાંતા તાલુકા વિકાસ અધિકારી ઉપર ભાર મુકાયો હતો ત્યારે તંત્ર ભેદી નું શુ રહસ્ય હશે તે ચર્ચા નો વિષય બન્યો હતો આ પંથકમાં ઈંટો પકવવા માટે ઇંટવાળા વાળા ઝેરી કેમિકલનો ઉપયોગ કરે છે તેવું પણ લોકો દ્વારા જાણવા મળ્યું હતું અને આ ઝેરી કેમિકલ્સ ના  પ્રદૂષણ ને લિધે જંગલમાં રહેતા પ્રાણીઓ વૃક્ષો તેજન લોકોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે અને આ કેમિલકલ્સ ખતરાની ઘંટીરૂપ સાબિત થઈ રહ્યું છે આ ઝેરી કેમિકલ્સ ગામમાં રહેતા લોકોને જેવી કે કેન્સર શ્વાસની તકલીફ એવી અનેક  મોટી મોટી ભયંકર  બીમારીમાં સપડાય એ પહેલાં આ ગેરકાયદેસર ઇંટવાળા બંધ કરવામાં જરૂરી છે આ ઝેરી કેમિકલ્સ એટલી હદે માનવજાત માટે ખતરનાક છે કે આ કેમિકલ્સથી અનેક જીવલેણ રોગ ઉત્પન્ન થઇ શકે છે આ બાબતે દાંતા તાલુકા સ્વાગત કાર્યક્રમ માં જાગૃત નાગરિક અરજી કરવામાં આવી હતી પરંતુ તાલુકા સ્વાગત કાર્યક્રમ આપેલી અરજી ખાલી કાગળ પરજ હોય તેમ સમજીને આજ દિન સુધી કોઈજ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે ફરીથી એક જાગૃત નાગરિક દ્વારા બે દિવસ પહેલા કલેકટર સાહેબને લેખીત રજુઆત કરવામાં આવી હતી પરંતુ  આજ દિન સુધી કોઈજ કાર્યવાહી કરવામાં આવી નથી કાર્યવાહી કરવામાં આવશે કે પછી ફાઇલ બનાવી ને માળીયે મૂકી દેવામાં આવશે તેવા અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે હવે જોવાનું રહ્યું એ રહ્યું કે કલેકટર સાહેબ  કોઈ કાર્યવાહી કરશે કે પછી...??
રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.