પોસ્ટ્સ

સપ્ટેમ્બર 1, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

રવિવારે અરવલ્લીના ઉમેદપુરમાં ખંડુજી મહાદેવનો ભવ્ય મેળો ભરાશે,હજારો ભક્તો ઉમટી પડશે.

છબી
રવિવારે અરવલ્લીના ઉમેદપુરમાં ખંડુજી મહાદેવનો ભવ્ય મેળો ભરાશે,હજારો ભક્તો ઉમટી પડશે. અરવલ્લી જિલ્લાના લોકોનું આસ્થાનું પ્રતિક એટલે ઉમેદપુર દધાલિયા ખાતે બિરાજમાન સ્વયંભૂ ભગવાન શ્રી ખંડુજી મહાદેવ. કહેવાય છે કે જ્યારે ભક્તો મુશ્કેલીમાં મુકાઈ છે ત્યારે ભગવાન ખંડુજી મહાદેવની માનતા માનવામાં આવે છે જેથી તેમના પર આવેલી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આ માનતા પૂર્ણ કરવા ભક્તો દર વર્ષે ભાદરવા મહિનાના બીજા રવિવારે ઉમેદપુર દધાલિયા ખાતે ખંડુજી મહાદેવ મંદિર ખાતે ઉમટી પડતાં હોય છે.સદીઓથી અહી મોટો લોક મેળો યોજાઇ છે.ત્યારે આ વર્ષે પણ ભાદરવા મહિનાના બીજા રવિવારે એટલે કે આવતા રવિવારે 4 સપ્ટેમ્બરના રોજ ભવ્ય મેળો ભરાશે જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડવાના શક્યતાઓ છે. દર વર્ષે અહીં હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે તેમાં પણ સાબરકાંઠા,અરવલ્લી જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાંથી પણ હજારો લોકો વહેલી સવારથી ભગવાન શ્રી ખંડુજી મહાદેવનાં દર્શન માટે પહોચતા હોય છે અને સમગ્ર દિવસ દરમિયાન મેળાની મજા માણતા હોય છે.આ વર્ષે 4 સપ્ટેમ્બરના રોજ યોજાનાર શ્રી ખંડુજી મહાદ...

સ્વરછ ભારત મિશન થકી લોકોને મળ્યા ઘરમાં શૌચાલય.મહિલાઓને શરમથી બચવા સરકારનો શ્રેષ્ઠ નિર્ણય: પંચાલિકાબેન (લાભાર્થી).

છબી
સ્વરછ ભારત મિશન થકી લોકોને મળ્યા ઘરમાં શૌચાલય. મહિલાઓને શરમથી બચવા સરકારનો શ્રેષ્ઠ નિર્ણય:  પંચાલિકાબેન (લાભાર્થી). સ્વચ્છ ભારત મિશન ભારત સરકાર દ્વારા સમગ્ર ભારતમાં લોકોનો સ્વચ્છતા પ્રત્યે અભિગમ કેળવવા માટે અમલમાં મુકવામાં આવેલો સામુદાયિક ભાગીદારી વાળો એક સ્વચ્છતા કાર્યક્રમ છે. આ યોજના તમામ ગ્રામીણ પરિવાર કુટુંબોને આવરી લે છે. આ અભિયાનનો પ્રારંભ તા. 2 ઓક્ટોબર, 2014 ના રોજ કરવામાં આવ્યો હતો. વિશ્વ બેંકના તાજેતરના અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે સ્વચ્છતાના અભાવના કારણે ભારત વાર્ષિક જીડીપીના 6.4% ગુમાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન હેઠળ, ભારત સરકાર દ્વારા 2019 સુધીમાં 'સંપૂર્ણ સ્વચ્છતા' પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતુ. ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અને સ્વાથ્યને બહોળા પ્રમાણમાં ઉત્તેજન મળે, ખુલ્લામાં શૌચક્રિયા બંધ થવાથી ગ્રામીણ લોકજીવનમાં સુધારો આવે તેવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવ્યાં. આ યોજના હેઠળ અરવલ્લી જિલ્લામાં 7039 શૌચાલયના કામ પૂર્ણ થયા છે. આ યોજના અંતર્ગત જીલ્લામાં 409 સામૂહિક શૌચાલયના કામ પણ પૂર્ણ થયેલા છ...

સ્વરછ ભારત મિશન થકી લોકોને મળ્યા ઘરમાં શૌચાલય. મહિલાઓને શરમથી બચવા સરકારનો શ્રેષ્ઠ નિર્ણય: પંચાલિકાબેન (લાભાર્થી). સ્વચ્છ ભારત મિશન ભારત સરકાર દ્વારા સમગ્ર ભારતમાં લોકોનો સ્વચ્છતા પ્રત્યે અભિગમ કેળવવા માટે અમલમાં મુકવામાં આવેલો સામુદાયિક ભાગીદારી વાળો એક સ્વચ્છતા કાર્યક્રમ છે. આ યોજના તમામ ગ્રામીણ પરિવાર કુટુંબોને આવરી લે છે. આ અભિયાનનો પ્રારંભ તા. 2 ઓક્ટોબર, 2014 ના રોજ કરવામાં આવ્યો હતો. વિશ્વ બેંકના તાજેતરના અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે સ્વચ્છતાના અભાવના કારણે ભારત વાર્ષિક જીડીપીના 6.4% ગુમાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન હેઠળ, ભારત સરકાર દ્વારા 2019 સુધીમાં 'સંપૂર્ણ સ્વચ્છતા' પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતુ. ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અને સ્વાથ્યને બહોળા પ્રમાણમાં ઉત્તેજન મળે, ખુલ્લામાં શૌચક્રિયા બંધ થવાથી ગ્રામીણ લોકજીવનમાં સુધારો આવે તેવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવ્યાં. આ યોજના હેઠળ અરવલ્લી જિલ્લામાં 7039 શૌચાલયના કામ પૂર્ણ થયા છે. આ યોજના અંતર્ગત જીલ્લામાં 409 સામૂહિક શૌચાલયના કામ પણ પૂર્ણ થયેલા છે.આ યોજનાથી શહેર , ગામડા અને જીલ્લામાં સ્વચ્છતાના દર પણ ઊંચા આવ્યા છે.મહિલાઓને શરમ અને ક્ષોભજનક સ્થિતિમાં મૂકવાથી પણ રાહત મળી છે. આ યોજનાના લાભાર્થી પંચાલિકાબેન કે જેમના ઘરમાં 5 સભ્યો છે તેમણે સરકારનો આભાર માન્યો અને જણાવ્યું કે પીએમ મોદીએ ગરીબો અને મહિલાઓ માટે આ ઉત્તમ નિર્ણય લીધો છે. આ યોજનાના પરિણામે અમારા ઘરમાં બીમારી પણ ઘટી છે. અમે હવે સ્વમાનભેર સમાજમાં જીવી શકીએ છીએ. પહેલા અમારા ઘરમાં મહેમાન આવતા વિચાર કરતા હતા. મહિલાઓએ શૌચક્રિયા માટે દૂર જવું પડતું હતું અને રાત પડવાની રાહ જોવી પડતી હતી. હવે ઘરમાં જ શૌચાલય હોવાથી આ તમામ સમસ્યાનો અંત આવી ગયો છે.બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.