બનાસકાંઠા જિલ્લામાં તલાટી કમ મંત્રીશ્રીઓની ગેરહાજરી બાબતે પરિપત્ર કરાયોઃ તલાટી કયા વારે મળશે તે નોટીસ બોર્ડ ઉપર દર્શાવવું પડશે: DDO*

બનાસકાંઠા જિલ્લામાં તલાટી કમ મંત્રીશ્રીઓની ગેરહાજરી બાબતે પરિપત્ર કરાયોઃ તલાટી કયા વારે મળશે તે નોટીસ બોર્ડ ઉપર દર્શાવવું પડશે: DDO*
તલાટીઓ ગેરહાજર રહેવામા દાંતા તાલુકો પ્રથમ નંબરે હોય તેવું અનુમાન* 
બનાસકાંઠા જિલ્લામાં તલાટી કમ મંત્રીશ્રીઓની સેજામાં ગેરહાજરી બાબતે મળતી ફરિયાદો અન્વયે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એક પરિપત્ર કરી સૂચના આપવામાં આવી છે કે, ગ્રામ પંચાયતના નોટીસ બોર્ડ ઉપર ગામના લોકો સહેલાઈથી વાંચી શકે તે રીતે તલાટી કમ મંત્રીશ્રીનું નામ- કોન્ટેકટ નંબ૨, કયા વારે, કઈ જગ્યાએ તલાટી હાજર મળશે તે જણાવવામાં આવેલ છે તેમ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરેએ મીડિયાને મુલાકાત આપતાં જણાવ્યું છે. 
         તેમણે કહ્યું કે, પંચાયત સેવાનો લાભ લોકોને સરળતાથી મળી શકે તે માટે ગ્રામ પંચાયતના નોટીસ બોર્ડ ઉપર ગામના લોકો સહેલાઈથી વાંચી શકે તે રીતે તલાટીના નામ અને સંપર્ક નંબર લખવામાં આવશે. આ નોટીસ બોર્ડમાં તલાટી કમ મંત્રીશ્રી આ નક્કી કરેલ દિવસે ગેરહાજર હોય તો વિસ્તરણ અધિકારીશ્રી (પંચાયત) નો સંપર્ક નંબર પણ આપવામાં આવેલ છે જેના ઉ૫૨ તલાટી કમ મંત્રીશ્રીની ગેરહાજરી બાબતે ટેલિફોનીક જાણ કરી શકાશે. તલાટી કમ મંત્રીશ્રીની ગેરહાજરી બાબતે તાલુકા કક્ષાએ રજીસ્ટર નિભાવી તેમાં નોંધ કરી આ અંગે કરેલ કાર્યવાહીની વિગતો રજીસ્ટ૨માં નોંધવા અને આવી મળેલ ફરિયાદોની વિગત દર માસની ૫ મી તારીખે જિલ્લા કક્ષાએ મોકલી આપવામાં આવશે તેની સમીક્ષા કરવામાં આવશે.

રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું