અંબાજી મંદિર ખાતે આખાત્રીજ થી અષાઢી એકમ સુધી દીવસ મા 3 આરતી યોજાશે

અંબાજી મંદિર ખાતે આખાત્રીજ થી અષાઢી એકમ સુધી દીવસ મા 3 આરતી યોજાશે
શક્તિ,ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અનેરાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર 51 શક્તિપીઠમાં આદ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોઈ આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી મંદિરમાં માઈ ભક્તો વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે પણ ઓળખાય છે અંબાજી મંદિર માં સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી દર્શન સમય પણ બદલાતો હોય છે ત્યારે અખાત્રીજ થી અષાઢી એકમ સુધી અંબાજી મંદિરમાં દર્શન સમય પણ બદલાશે અને આ સમયગાળામાં બપોરે આરતી પણશરૂથશે.બપોરે 12:00 વાગે માતાજીને સોનાની થાળીમાં રાજભોગ ધરાવ્યા બાદ મંદિરના ચાચર ચોકમાં અરીસા વડે સૂર્યનારાયણના દર્શન માતાજી ના ગર્ભગૃહ પર કરાવ્યા બાદ બપોરની આરતી શરૂ થાય છે અને જ્યા પૂજારી બેસે છે ત્યાં કપડા નો પંખો પણ લગાવવામાં આવે છે અને માતાજીને ભક્તો દોરી વડે પંખો પણ ઝુલાવતા હોય છે. આ સમયગાળામાં અંબાજી મંદિર સવારે 10:45 વાગે બંધ થાય છે અને બપોરે 12:30 વાગે ફરી ખુલે છે અને ત્યારબાદ રાત્રે 9 સુધી ખુલ્લું રહે છે.અંબાજી મંદિર દર્શન સમય 22/4/2023 થી 19/6/2023 સુધી બપોરે અન્નકૂટ યોજાશે નહીં.


:- અંબાજી મંદિર દર્શન સમય :-

સવારે મંગળા આરતી 7 થી 7:30

સવારે દર્શન 7:30 થી 10:45

બપોરે આરતી 12:30  થી 1:00

બપોરે દર્શન 1:00 થી 4:30

સાંજે આરતી 7  થી 7:30

સાંજના દર્શન 7:30 થી 9

*રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.