પ્રગતિશીલ ખેડૂત.પ્રકૃતિક રીતે કેસર કેરીની ખેતીથી સમૃદ્ધ બન્યા ખેડૂત, મેળવ્યો રૂ.4 લાખનો ચોખ્ખો નફો.

પ્રગતિશીલ ખેડૂત.
પ્રકૃતિક રીતે કેસર કેરીની ખેતીથી સમૃદ્ધ બન્યા ખેડૂત, મેળવ્યો રૂ.4 લાખનો ચોખ્ખો નફો.
તમે કેટલાય ખેડૂતોને પરંપરાગત પાકની ખેતીથી હટી કંઇક અલગ વાવેતર કરી લાખોની કમાણી કરતા જોયા હશે. આજે આપણે અરવલ્લી જીલ્લાના એવા જ એક ખેડૂતની વાત જણાવીશું જેણે પ્રકૃતિક કેરીની ખેતી કરી લાખોની કમાણી કરી છે.
અરવલ્લીના રવીપુરા કંપામાં રહેતા જીતેન્દ્રભાઈ પટેલ પહેલાં કપાસ, એરંડા અને ઘઉંની ખેતી કરતા હતાં જેમાં તેમને બહું સારું વળતર મળતું ન હતું. આ ખેતીથી તેમના પરિવારનું ભરણપોષણ મુશ્કેલીથી થતું હતું. પછી બાગાયત વિભાગના અધિકારીઓએ તેમને બાગાયતી ખેતી કરવા યોગ્ય માહિતી અને માર્ગદર્શન પૂરું પાડયું. બાયાગત ખાતા દ્વારા ફળ પાકના સંગ્રહ કરવા માટે ઓન ફાર્મ પેક હાઉસ બનાવવા રૂ.2 લાખની સહાય પણ પૂરી પાડવામાં આવી. 
યોગ્ય માર્ગદર્શન અને સહાય મળતા જીતેન્દ્રભાઈ પટેલે તેમના ખેતરમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રકૃતિક કેસર કેરીની ખેતી કરી. છેલ્લા વર્ષ 2019-2022 માં તેમને 2.75 લાખનો ખેતી ખર્ચ કરી કેરીની ખેતી કરી. જેનું ખૂબ સારું ઉત્પાદન થયું અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રવી ઓર્ગેનિક કેસર મેંગો નામનું વેબ પેજ બનાવી તેનું વેચાણ 4 લાખ જેટલો નફો મેળવ્યો છે.આ નફો તેમની પરંપરાગત ખેતીના 5 વર્ષના નફા કરતા પણ વધારે છે.
આ નફાની રકમ, માર્ગદર્શન, સહાયને જોતા જિલ્લાના અન્ય ઘણાં ખેડૂતો પણ બાગાયતી ખેતી કરવા પ્રેરિત થયા છે. તેમની આસપાસના ઘણા ખેડૂતોએ તો બાગાયતી ખેતી કરવાનું શરૂ પણ કરી દીધું છે .બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું