થરાદ ના ભુરિયા મુકામે અગિયાર મુખી હનુમાનજી ના સ્થાને જગત કલ્યાણ માટે સતત 64મા શનિવારે સુંદરકાંડ પાઠ યોજાયો.

થરાદ ના ભુરિયા મુકામે અગિયાર મુખી હનુમાનજી ના સ્થાને જગત કલ્યાણ માટે સતત 64મા  શનિવારે સુંદરકાંડ પાઠ યોજાયો.
 બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભુરીયા મુકામે આ વિસ્તાર નું એકમાત્ર અગિયાર મુખી હનુમાનજીનું સ્થાન આવેલ છે આશ્રમના મહંત શ્રી સંત ઘેવરદાસ  બાપુ દ્વારા દર શનિવારે જગત કલ્યાણ માટે તેમના ગુરુદેવ જગતગુરુ વાસુદેવાચાર્ય જી મહારાજ કુબાજી દ્વારાપીઠાધીશ્વર જીથઙા રાજસ્થાનનના સતત પ્રેરણા અને માર્ગદર્શનથી સુંદરકાંડના પાઠ થઈ રહ્યા છે તથા જોધપુરી લાલ પથ્થર માંથી અગિયાર મુખી હનુમાનજી ની ૩૧ ફૂટ ઊંચી વિરાટ પ્રતિમા નિર્માણ થવા જઈ રહી છે.
 ત્યારે આજે માનસ કથા કાર નરસેંગદાસ રામાનંદી વલાદરવાલા ના સુમધુર સ્વરમાં પ્રજાપતિ ધનાજી પૂનમાજી મુ કુવાતા તા દિયોદરના સૌજન્ય થી યોજાયો આ પ્રસંગે ગણમાન્ય લોકો તથા ભક્તજનો એ કથા શ્રવણ ભોજન પ્રસાદ નો લાભ લીધેલ આગામી સવા વર્ષ ના સંકલ્પ નો અંતિમ 65 મો સંગીત મય સુંદરકાંડ પાઠ  માનસ કથાકાર વિક્રમભાઈ દવે ભુરીયા વાળા દ્વારા સુથાર શાન્તીલાલ ધનાજી મુ ચાંગડા તા. થરાદ ના સૌજન્ય થી યોજાશે આ  પ્રસંગે સૂક્ષ્મ હવનનુ પણ આયોજન કરવામાં આવેલ છે દર શનિવારે રાત્રે ભજન સંધ્યાનું આયોજન પણ કરવામાં આવે છે સંત ઘેવરદાસ બાપુ ના મંગલ મનોરથ થી તથા ભક્તજનો ના સાથ સહકારથી અન્નક્ષેત્ર પણ ચાલુ છે દર શનિવારે દાદાના દર્શને અવનવા અનુભવો સાથે ભક્તજનો ઉમટી રહ્યા છે
બ્યૂરો રીપોર્ટ પ્રધાનસિંહ પરમાર  બનાસકાંઠા 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.