ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોરોના પોઝિટિવ, ઘરે થયા ક્વોરન્ટાઈન**"વસંત વગડો"ની રોનક શંકર બાપુ કોરોના ની ઝપેટ માં* હમણાં થોડા દિવસોથી શંકરસિંહ વાઘેલા ખાસ્સા ચર્ચામાં રહેતાં આવ્યા છે. NCPમાં રાજીનામું આપી દીધા બાદ શંકરસિંહ વાઘેલાએ પ્રજા શક્તિ મોર્ચા નામે નવી પાર્ટી બનાવી હતી. જો કે, સતત દોડધામ કરતાં રહેતાં શંકરસિંહ વાઘેલાનાં સમર્થકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.

*પ્રેસનોટ

ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોરોના પોઝિટિવ, ઘરે થયા ક્વોરન્ટાઈન*

*"વસંત વગડો"ની રોનક શંકર બાપુ  કોરોના ની ઝપેટ માં*              
હમણાં થોડા દિવસોથી શંકરસિંહ વાઘેલા ખાસ્સા ચર્ચામાં રહેતાં આવ્યા છે. NCPમાં રાજીનામું આપી દીધા બાદ શંકરસિંહ વાઘેલાએ પ્રજા શક્તિ મોર્ચા નામે નવી પાર્ટી બનાવી હતી. જો કે, સતત દોડધામ કરતાં રહેતાં શંકરસિંહ વાઘેલાનાં સમર્થકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.
શંકરસિંહને સામાન્ય તાવ આવતાં તેઓએ કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. આજે તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શંકરસિંહ વાઘેલા ઘરે ક્વોરન્ટાઈન થયા છે. તેઓએ જણાવ્યું હતું કે, જરૂર લાગશે તો આવતીકાલે હોસ્પિટલમાં દાખલ થઈ જઈશ.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં જ તેઓએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. એટલું જ નહીં, પણ તેઓએ પોતાના સમર્થકો સાથે બેઠક પણ યોજી હતી. એનસીપીમાંથી રાજીનામું આપી દીધા બાદ શંકરસિંહે પ્રજા શક્તિ મોર્ચા નામે નવી પાર્ટી શરૂ કરી છે. તેની કામગીરીને લઈને પણ તેઓએ સતત એક્ટિવ રહેતાં હતા. હવે શંકરસિંહ પોઝિટિવ આવતાં તેમની સાથે રહેલાં લોકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાવાનો ભય પેદા થયો છે.
..સિહોર
..રિપોર્ટર. હરીશ પવાર
મો.9327642820

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.