મનરેગા કામદાર યુનિયન દ્વારા મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકા મા કામદારોની મુલાકાત...

મનરેગા કામદાર યુનિયન દ્વારા મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકા મા કામદારોની મુલાકાત...


આજ રોજ ૨ મી જુન ૨૦૨૦ ને મંગળવાર ના રોજ મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના નરોડા ગ્રૂપ ગ્રામપંચાયત ના ક્લેશ્વરી.ખૂટેલાવ.નરોડા.જેઝા.ગામના કામદારો સાથે રાષ્ટ્રીય રોજગાર ખાતરી કાયદા હેઠળ ના કામદારોના યુનિયન-ગુજરાત ના સ્થાપક અને પૂર્વ સાંસદ માનનીય શ્રી મધુસુદન મિસ્ત્રી દ્વારા કામદારોની કામના સ્થંળે મુલાકાત કરવામા આવી અને કામનું નિરીક્ષણ કર્યુ હતુ  જે દરમિયાન મનરેગા કામની અંદર છાયડા ની વ્યવસ્થા ન હતી .અને કામદારો દ્વારા સાહેબ ને કામને લઈ ગણા પ્રશ્નો કર્યા હતા કે જોબકાર્ડ વિભાજન નથી કરવામાં આવતા અને કામના પ્રમાણમાં પગાર નથી થતો અને કામના સ્થળે મેડિકલ ફ્સ્ટેડ કિટ રાખવામાં આવતી નથી અને સસ્તા અનાજ ની દુકાનો ની ગેરરીતિ થઈ રહી છે તેવા સવાલો કામદારો દ્વારા કરવામા આવ્યા હતા તે દરમિયાન મિસ્ત્રી દ્વારા કામદારોને આશ્વાસન આપવામાં આવ્યુ હતુ કે પડતી મુશ્કેલીઓ ને લઈ તમારા પ્રશ્નો ના નિરાકરણ માટે યોગ્ય જગ્યાએ રજુઆત કરવામા આવશે. અને ત્યાર બાદ કોરોના મહામારી દેશ અને  રાજ્યમાં ચાલી રહી હોય ત્યારે વાયરસ ના સંક્રમણ મા કામદારો ના આવે તે હેતુ થી મિસ્ત્રી સાહેબ  દ્વારા માસ્કનુ  વિતરણ કરવામાં આવ્યુ હતુ જેમા ઉપસ્થિત યુનિયન સેક્રેટરી બંસીલાલ સોલંકી.મહિસાગર જિલ્લા યુનિયન મંત્રી મકનસિંહ માલીવાડ.યુનિયન મહામંત્રી સરદારભાઈ માલીવાડ.કમલેન્દ્રસિંહ સહીતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.